નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના કો-લોકેશન કૌભાંડમાં ઈડી (ED)એ મુંબઈ (Mumbai)ના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે (Sanjay Pandey)ની ધરપકડ કરી છે. પાંડની સામે આરોપ છે કે, તેમની કંપનીએ બે હાઈ રિસ્કવાળા બ્રોકરોની કંપનીઓનું ખોટી રીતે ઓડિટ કર્યું હતું. કો-લોકેશન કૌભાંડમાં અગાઉ એનસઈના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણ (Chitra ramkrishna)ની પણ ઈડી ધરપકડ કરી ચૂકી છે.
- એનએસઈ સર્વર પરિસરમાં શેર બ્રોકરો પાસેથી ચાર્જ લઈ તેમને કો-સર્વર લગાવવાની સુવિધા અપાય છે.
- એનએસઈની આ કો-લોકેશન સુવિધામાં કૌભાંડ મામલાની સીબીઆઈ તપાસ કરી રહી છે.
- મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરની કંપનીએ બ્રોકરોના ઓડિટમાં સેબીના પરિપત્રનું ઉલ્લંઘન કર્યાનો છે આરોપ.
મુંબઈ: ઈડીએ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના કો-લોકેશન કૌભાંડ મામલે ધરપકડ કરી છે. આરોપ છે કે, સંજય પાંડેની કંપનીએ એનએસઈના બે શેર બ્રોકરના ‘ઓડિટ’માં કથિત રીતે સેબીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ બ્રોકર વિવાદોમાં ઘેરાયેલી ‘કો-લોકેશન’ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હતા. ઈડીએ આપેલી માહિતીના આધારે આઈસેક સર્વિસીઝ સામે 19મેએ એફઆઈઆર નોંધવામાં હતી.
ઈડીએ કંપની તરફથી શેર બ્રોકરો સાથે સંબંધિત ‘સિસ્ટમ ઓડિટ’માં સેબીના પરિપત્રના ઉલ્લંઘનને પકડ્યું હતું. આ બ્રોકરો કો-લોકેશન સુવિધાનો ઉપયોગ કરી અલગોરિધમિક બિઝનેસમાં સામેલ હતા. એફઆઈઆર સોમવારે જાહેર કરાઈ હતી. કો-લોકેશન સુવિધા અંતર્ગત એનએસઈ સર્વર પરિસરમાં શેર બ્રોકરોને કેટલોક ચાર્જ આપીને કો-સર્વર લગાવવાની સુવિધા મળે છે. કો-લોકેશન સુવિધાની હવે સીબીઆઈ તપાસ કરી રહી છે
સંજય પાંડેની કંપનીએ ખોટી રીતે કર્યું ઓડિટ
સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની કંપની આઈસેક સર્વિસીઝએ વધારે જોખમવાળા બે બ્રોકરો- એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝ લિમિટેડ અને શાસ્ત્ર સિક્યોરિટીઝ ટ્રેડિંગ પ્રોઈવેટ લિમિટેડના ‘ઓડિટ’ એ સમયે ખોટી રીતે કર્યા, જ્યારે કો-લોકેશન કૌભાંડ ચાલી રહ્યું હતું.
રાજીનામું આપીને કંપની બનાવી હતી
ઉલ્લેખનીય છે કે, તપાસ એજન્સીએ નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણની કો-લોકેશન કૌભાંડ મામલે ધરપકડ કરી છે. સંજય પાંડેએ માર્ચ, 2001માં પોલીસ સેવામાંથી રાજીનામું આપી આઈસેક સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપની બનાવી હતી. એફઆઈઆર મુજબ, કંપનીએ શેર બ્રોકરોની કંપનીઓનું ઓડિટ 2013-19 દરમિયાન કર્યું હતું. તેમાં નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું.
કો-લોકેશન કૌભાંડ સમયે ચિત્રા રામકૃષ્ણ એનએસસીના સીઈઓ હતા
વર્ષ 2013થી 2016 સુધી ચિત્રા રામકૃષ્ણ નેશનલ સ્ટોક એક્સચેન્જના સીઈઓ હતા. એ સમયે કો-લોકેશન કૌભાંડ સામે આવ્યું હતું. ઈડીને આ બાબતની જાણ થતા તેણે તાત્કાલીક ગૃહ મંત્રાલયને જાણ કરી હતી અને મામલામાં સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. હવે, આ મામલે જ ઈડીએ સંજય પાંડેની ધરપકડ કરી છે.