રમત ગમત

Asia Cup 2022: પાકિસ્તાન માટે હજુ નથી થયો આશાનો અંત, ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાઇ શકે છે

એશિયા કપમાં રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાનને ભારતના હાથે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો

એશિયા કપમાં રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાનને ભારતના હાથે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પોતાના બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શનને હારનું કારણ ગણાવ્યું છે. જોકે બાબર આઝમ પોતાના બોલરોના પ્રદર્શનથી ખુશ છે. જો કે પાકિસ્તાન માટે આગામી રાઉન્ડમાં પહોંચવાની સંભાવના છે.

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત પણ ખરાબ રહી હતી. પરંતુ અંતે ટીમ ઈન્ડિયા 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને જીત મેળવવામાં સફળ રહી હતી.પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે તેમની ટીમ 10, 15 રનથી પાછળ રહી ગઈ છે. તેણે કહ્યું, “અમે પણ અમારા ઝડપી બોલરોના દમ પર મેચમાં પુનરાગમન કર્યું હતું પરંતુ અમે 10-15 રન પાછળ રહી ગયા હતા. હાર્દિકે શાનદાર પ્રદર્શન કરીને ભારતને જીત અપાવી હતી.બાબર આઝમે નસીમ શાહના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. પાકિસ્તાનના કેપ્ટને કહ્યું, “અમારા લોઅર ઓર્ડરે સારો સ્કોર કરવાનો અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. અમારો પ્રયાસ રમતને વધુ આગળ લઈ જવાનો હતો. અમે દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. નસીમ શાહ યુવાન છે અને તેણે ઘણી સારી બોલિંગ કરી હતી.

જોકે, પાકિસ્તાનની ટીમ પાસે હજુ પણ આગામી રાઉન્ડમાં સ્થાન મેળવવાની તક છે. જો પાકિસ્તાનની ટીમ તેની આગામી મેચમાં હોંગકોંગને હરાવવામાં સફળ રહે છે તો આગામી રાઉન્ડમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જેવી મજબૂત ટીમને હરાવીને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આગામી રાઉન્ડમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન આમને સામને થઈ શકે છે. એટલું જ નહીં ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મુકાબલો થવાની પણ સંભાવના છે.એશિયા કપ 2022માં રવિવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તોફાની ઈનિંગ્સ રમી અને છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને ભારતને જીત અપાવ હતી. આ મેચમાં પાકિસ્તાને ભારતને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતે 5 વિકેટે હાંસલ કરી લીધો હતો.

વર્લ્ડ કપનો બદલો પૂરો થયો

T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાની ઘણી ટીકા થઈ હતી અને તે મેચના માત્ર દસ મહિના બાદ જ ભારતે તેનો બદલો પૂરો કરી લીધો છે. એશિયા કપની આ હાઈવોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. T20 વર્લ્ડ કપ પછી બંને ટીમો વચ્ચે રમાયેલી આ પ્રથમ મેચ હતી.

હાર્દિક-જાડેજાએ શાનદાર જીત અપાવી

IPL 2022 બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર હાર્દિક પંડ્યા સૌથી મોટો મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો હતો અને રવિન્દ્ર જાડેજા સાથે ભાગીદારી કરી હતી. હાર્દિકે પોતાની ધમાકેદાર ઇનિંગમાં 17 બોલ રમ્યા અને 33 રન બનાવ્યા.

હાર્દિક ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ 29 બોલમાં 35 રન ફટકારીને ભારતને મુશ્કેલ સમયમાં બહાર કાઢ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. બેટિંગ ઓલરાઉન્ડર તરીકે ઉતરેલ રવિન્દ્ર જાડેજા આ મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો.

 

administrator
R For You Admin