દેશ-વિદેશ

દિલ્હી-યુપી સહિત ભારતના 7 રાજ્યોમાં ભૂકંપના આંચકા, નેપાળમાં 6ના મોત

ભારત, ચીન અને નેપાળમાં મંગળવારે મોડી રાત્રે 1.57 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 સુધી માપવામાં આવી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આવી સ્થિતિમાં સૌથી વધુ વિનાશના સમાચાર નેપાળમાંથી જ સામે આવી રહ્યા છે. અહીંના દોતીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે.

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપ બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જે મોડે સુધી ઘરોમાં પાછા ફર્યા ન હતા. જયારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા, પરંતુ ભૂકંપના આંચકાથી તેઓ જાગી ગયા હતા. કેટલાક લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા છે.

નેપાળમાં આવ્યા ભૂકંપના બે આંચકા 

નેપાળમાં દોઢ કલાકમાં બે આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે 1.57 વાગ્યા બાદ 3:15 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તેની તીવ્રતા 3.6 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર નેપાળમાં 8 નવેમ્બરે રાત્રે 9 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 4.9 હતી. 8 નવેમ્બરના રોજ લગભગ 12 વાગે મિઝોરમમાં પણ ભૂકંપ આવ્યો હતો. અહીં તીવ્રતા 4.4 હતી.

નેપાળમાં ભૂકંપને કારણે કેટલું નુકસાન થયું?

નેપાળમાં આવેલા ભૂકંપથી સૌથી વધુ નુકસાન નોંધાયું છે. અહીંના દોતીમાં ભૂકંપના આંચકાને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે 2 વાગ્યે ભૂકંપના કારણે દોતી જિલ્લામાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા હતા. 5 ઘાયલ થયા. નેપાળની સેનાને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે. દોતીમાં 6.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મૃતકોમાં એક જ પરિવારના 3 લોકોનો સમાવેશ થાય છે. ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેપાળમાં સેના રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

ભારતના 7 રાજ્યોમાં ધરા ધ્રુજી 

ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં ભૂકંપ બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા.

ઉત્તરાખંડના પિથોરાગઢમાં આજે સવારે 6.27 વાગ્યે પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી.

શા માટે આવે છે ભૂકંપ?

ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, ભૂકંપનું વાસ્તવિક કારણ ટેક્ટોનિક પ્લેટોમાં મજબૂત હિલચાલ છે. આ સિવાય ઉલ્કાની અસર અને જ્વાળામુખી ફાટવા, માઇન ટેસ્ટિંગ અને પરમાણુ પરીક્ષણને કારણે પણ ભૂકંપ આવે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. આ સ્કેલ પર 2.0 અથવા 3.0ની તીવ્રતાનો ધરતીકંપ હળવો હોય છે, જ્યારે 6ની તીવ્રતાનો અર્થ શક્તિશાળી ધરતીકંપ થાય છે.

ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવવામાં આવે છે?

ધરતીકંપની તીવ્રતાનો અંદાજ તેના કેન્દ્રમાંથી નીકળતી ઉર્જા તરંગો પરથી લગાવવામાં આવે છે. સેંકડો કિલોમીટર સુધી આ તરંગોથી ધ્રુજારી થાય છે. પૃથ્વીમાં તિરાડો પડી જાય છે. જો ધરતીકંપનું કેન્દ્ર ઓછી ઉંડાઈ પર હોય તો તેમાંથી નીકળતી ઉર્જા સપાટીની ખૂબ જ નજીક હોય છે જેના કારણે ભારે વિનાશ થાય છે.

administrator
R For You Admin