વિશેષ-સ્ટોરી

લસણનું પાણી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે, લોહીને પાતળું કરી હ્રદય રોગથી રાખે છે દુર

લસણ જેવા ઘટકોની વિશેષતા એ છે કે તે ખાવાનો સ્વાદ તો વધારે છે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો લસણનું પાણી રોજ પીવામાં આવે તો સ્પર્મ કાઉન્ટ વધારવા સહિત અનેક સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.

NCBIમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, લસણમાં એવા તત્વો જોવા મળે છે જે કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. એવું કહેવાય છે કે જો લસણની એક કળીને રોજ પાણી સાથે ગળી લેવામાં આવે તો ભવિષ્યમાં કેન્સરનો ખતરો ઓછો રહે છે. જો કે લસણનું પાણી પણ આ કિસ્સામાં ફાયદાકારક છે.

 શું તમે જાણો છો કે લસણનું પાણી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે, કારણ કે તે લોહીને પાતળું કરવામાં ઉપયોગી છે. હૃદયની બીમારીઓનું કારણ ગણાતા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું રાખવામાં પણ લસણ મદદરૂપ છે.
હેલ્થ વેબસાઈટ પબમેડમાં જણાવવામાં આવ્યું છે કે લસણના ગુણ પુરુષોમાં પિતા બનવાની ક્ષમતાને વધારી શકે છે. તેનું પાણી રોજ પીવાથી શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે. તે વંધ્યત્વ દુર થાય છે
લસણનું પાણી પાચનતંત્રને મજબૂત બનાવે છે. શિયાળામાં લસણનું પાણી પીવાથી પેટની ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.

administrator
R For You Admin