હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભૂંતર માર્ગ પર ભૂસ્ખલનને કારણે મણિકરણ ખીણમાં ચોજ નાળામાં પૂર આવ્યું છે. ભૂસ્ખલનને કારણે ભુંતર-મણિકર્ણ રોડ પર કસોલ નજીક રસ્તો બંધ છે. પૂરના કારણે 4 લોકો લાપતા છે. આ ઘટનામાં 3 ઘર, 1 ગેસ્ટ હાઉસ, 3 કેમ્પિંગ સાઈટ, 1 ગૌશાળા સહિત 4 ગાયો તણાઈ ગઈ હતી. ગુમ થયેલાઓમાં સુંદરનગરનો રહેવાસી રોહિત, રાજસ્થાનના પુષ્કર રાજનો રહેવાસી કપિલ, ધર્મશાલાનો રહેવાસી રાહુલ ચૌધરી અને બંજરના અર્જુનનો સમાવેશ થાય છે.આ સિવાય 3 કેમ્પિંગ સાઈટ સંપૂર્ણપણે પૂરમાં ધસી ગઈ છે, જ્યારે આ ઘટનામાં હીરા લાલ, લતા દેવી, પાને રામ અને પન્નાલાલના ઢાબા પણ તણાઈ ગયા છે. આ ઉપરાંત નાનકચંદ, પાને રામ અને દુનીચંદના ઘર પણ ધોવાઈ ગયા છે.
#WATCH | Himachal Pradesh: Flash flood hits Manikaran valley of Kullu district due to heavy rainfall, dozens of houses and camping sites damaged in Choj village: SP Kullu Gurdev Sharma pic.twitter.com/NQhq8o8JXC
— ANI (@ANI) July 6, 2022
ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્રની ટીમો અને બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે, પરંતુ નુકસાનીનો તાગ મેળવવા માટે નીકળેલી જિલ્લા વહીવટી તંત્રની ટીમ સહિત ફાયર વિભાગની ગાડીઓ ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ હોવાથી ફસાઈ ગઈ છે. ઝરીથી થોડે આગળ રોડ પર ભૂસ્ખલન થયું છે,જ્યાં વાહનોની લાંબી લાઈનો લાગી છે. ફાયર વિભાગના વાહન સહિત વહીવટી કર્મચારીઓ પણ આ લાઈનોમાં ફસાઈ ગયા છે.
બીજી તરફ પાર્વતી નદી પરનો પુલ ધોવાઈ જવાના કારણે ચોજ ગામનો સંપર્ક તૂટી ગયો છે. લોકોના મતે આ પૂરમાં ઘણું નુકસાન થયું છે. પાર્વતી નદી અને ચોજ નાળાના સંગમ સ્થળ પર બનેલા મકાનો અને રેસ્ટોરન્ટ ધોવાઈ ગયા છે. આ ઘરો અને રેસ્ટોરન્ટમાં કેટલા લોકો હતા, હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. SDM કુલ્લુ વિકાસ શુક્લાએ જણાવ્યું કે સ્થળ પર પહોંચ્યા પછી નુકસાન અને લોકોના તણાયાની સ્થિતિ સ્પષ્ટ થશે.
Incessant overnight rains led to a devastating #cloudburst-like situation in the Parvati Valley of #Kullu district, #HimachalPradesh. The subsequent flash floods & landslides washed away at least seven people.
Details: https://t.co/bxWESh16VR
pic.twitter.com/uKakGsXkdpThread👇
— The Weather Channel India (@weatherindia) July 6, 2022
મલાણા રોડમાં પૂરથી થયેલા નુકસાનની પુષ્ટિ થઈ ગઈ છે, જ્યાં લોકો સુરક્ષિત છે, પરંતુ સંપત્તિને ઘણું નુકસાન થયું છે. મલાણામાં મલાણા પ્રોજેક્ટ ઓફિસ અને શેડ પૂરથી ધોવાઈ ગયા છે. મલાણા પ્રોજેક્ટને ઘણું નુકસાન થયું છે, પરંતુ અહીં લોકો સુરક્ષિત હોવાનું કહેવાય છે. રેસ્ક્યુ ટીમ સ્થળ પર નુકસાનની તપાસ કરી રહી છે.
રાત્રે ભારે વરસાદને કારણે સાંજ ઘાટીમાં ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. શંશેર રોડ પર ભૂસ્ખલન થયું છે. આ સિવાય બંજર, અની, કુલ્લુ અને મનાલી વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ હોવાના અહેવાલ છે.